જુનાગઢની સિવિલ હોસ્પિટલના ચોથા માળેથી એક યુવકે ઝંપલાવ્યું. સારવાર દરમીયાન રાજકોટ સિવિલમાં
રાજકોટ, રાજકોટ શહેર તા.૧૯.૬.૨૦૨૦ ના રોજ જુનાગઢની સિવિલ હોસ્પિટલના ચોથા માળેથી એક યુવકે ઝંપલાવ્યું. ઉનાના સીમાસી ગામના ભાવેશ ઝવેરભાઈ ખખર જાતિએ કોળી જેને આજે સવારે જુનાગઢની સિવિલ હોસ્પિટલના ચોથા માળેથી છલાંગ લગાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. તે છેલ્લા બે વર્ષથી ધોરાજી રહેતો હતો. નીચે પટકતા તે ગંભીર રીતે ધાયલ થયો હતો. બાદમાં વધુ સારવાર માટે ૧૦૮ મારફતે રાજકોટ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે સારવાર દરમીયાન તેનું મોત નીપજ્યું છે. પોલીસે આ ઘટના બાબતે તપાસ શરૂ કરી છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ Post Views: 214
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed